તબિયત બરોબર ન હોવાથી ઘરની સફાઈ ન થતા પતિએ પત્નીને માર માર્યો

જૂનાગઢના ટીંબાવાડી રામમંદીરની સામે રહેતા દંપતી વચ્ચેનો કંકાસ પોલીસ મથકે પહોચ્યો

જૂનાગઢ : જૂનાગઢના ટીંબાવાડી રામમંદીરની સામે રહેતા દંપતી વચ્ચેનો કંકાસ પોલીસ મથકે પહોચ્યો છે. જેમાં તબિયત બરોબર ન હોવાથી ઘરની સફાઈ ન થતા પતિએ પત્નીને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢના મહીલા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રૂતુબેન મેહુલકુમાર બોરડ (ઉ.વ.૨૫ રહે. ટીંબાવાડી રામમંદીરની સામે ક્રીષ્ના લખેલ મકાનમાં બાબભાઇ ગરાણાના મકાનમાં ભાડેથી જુનાગઢ) એ તેના પતિ મેહુલકુમાર વશરામભાઇ બોરડ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી બેનની તબીયત બરાબર ન હોવાથી ઘરમાં સાફ સફાઇ કરેલ ન હોય જેથી આરોપી પતિને સારૂ નહી લાગતા તેણે ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે મહિલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.