મૈત્રીકરાર કર્યા બાદ યુવતીને ઘરમાંથી કાઢી મુકતા દુષ્કર્મની ફરિયાદ

વિસાવદરના ગ્રામ્ય વિસ્તારની ઘટનામાં યુવાન અને તેના પરિવારજનો સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : વિસાવદરના ગ્રામ્ય વિસ્તારમાં યુવતી સાથે એક યુવાને મૈત્રીકરાર ઘરે લઈ જઈને તેની ઈચ્છા વિરુદ્ધ બળજબરીથી દુષ્કર્મ ગુંજાર્યું હતું એટલું જ નહીં યુવાને અને તેના પરિવારજનોએ યુવતીને માર મારી ત્રાસ આપીને ઘરમાંથી કાઢી મૂકી હતી. આથી ભોગ બનનાર યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

વિસાવદર પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર વિસાવદરના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીએ ધવલભાઇ રાજેશભાઇ રાઠોડ, રાજેશભાઇ રાઠોડ, દયાબેન રાજેશભાઇ રાઠોડ, આરતીબેન રાજેશભાઇ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ ધવલભાઇ રાજેશભાઇ રાઠોડ ફરિયાદી યુવતી સાથે અગાઉ મૈત્રીકરાર કર્યા હતા અને આ આરોપી ફરિયાદીનેપોતાના મકાને સાથે લઇ ગયો હતો. તે દરમ્યાન ફરિયાદીની મરજી-ઇચ્છા વિરુધ્ધમા બળજબરીપુર્વક શરીરસંબધ બાંધી બળાત્કાર કરી તેમજ તમામ આરોપીઓએ ફરિયાદીને ઘરના કામકાજ તેમજ નાની નાની વાતોમા મનદુખ રાખી ઢીકાપાટુનો મુઢમાર મારી ઘરમાથી કાઢી મુકી હતી. આ બનાવની યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.