કેશોદમાં દુકાનનું બોર્ડ હટાવવા મામલે મારામારીમાં વળતી ફરિયાદ નોંધાઈ

પાડોશી મહિલાએ દુકાનદાર સહિત બે સામે માર મર્યાની સામી ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : કેશોદમાં દુકાનનું બોર્ડ હટાવવા મામલે દુકાનદારો વચ્ચે માથાકૂટ થઈ હતી.જેમાં દુકાનદારે અગાઉ પાડોશીઓ સામે ફરિયાદ નોંધાવ્યા બાદ હવે સામી ફરિયાદ પણ દાખલ થઈ છે. જેમાં પાડોશી મહિલાએ દુકાનદાર સહિત બે સામે માર મર્યાની સામી ફરિયાદ નોંધાવી છે.

કેશોદ પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી નયનાબેન જગદીશભાઇ બોરીચા (ઉ.વ.૫૩ રહે.કેશોદ જાગનાથ સોસાયટી) એ આરોપીઓ દિપેન રજનીભાઇ રાયચુરા, ખંજન રજનીભાઇ રાયચુરા (રહે.બન્ને કેશોદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તથા આરોપીઓને બાજુમાં દુકાન આવેલ હોય આરોપીઓએ નવુ બોર્ડ બનાવેલ અને ફરીયાદીની દુકાનની બાજુમાં રાખેલ જેથી ફરીયાદીએ બોડ હટાવવાનુ કહેતા આરોપીઓએ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બન્ને પક્ષની હવે સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.