ભેંસોની ખરીદી બાદ ધંધામાં નુકશાની જતા યુવાને જીવન ટૂંકાવ્યું

જૂનાગઢ જિલ્લાના માણાવદરના બાવાવાડીમાં બનેલી

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના માણાવદરના બાવાવાડીમાં રહેતા યુવાને ભેંસોની ખરીદી બાદ ધંધામાં નુકશાની જતા જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે.જેમાં યુવાને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.

આ બનાવની માણાવદર પોલીસ સ્ટેશને પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ જિલ્લાના માણાવદરના બાવાવાડીમાં રહેતા હાર્દિકભાઇ રમેશભાઇ ઉર્ફે રમણીકભાઇ ગરાળા (ઉ.વ.૨૬) નામના યુવાને નાનડીયા ગામેં પોતાની વાડીએ ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ મૃતક યુવાને ધંધો કરવા માટે ભેંસો (પશુ) ખરીદેલ હોય અને જે ધંધામા નુકશાની જતા પોતાને મનમા લાગી આવતા પોતે પોતાની મેળે વાડીએ ઝેરી દવા પીને આ અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસ આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.