કેશોદમાં દુકાનનું બોર્ડ કેમ હટાવ્યું કહેતા મહિલા સહિત ચારે વેપારીને ઘૂસ્તાવી નાખ્યા

પાંજરાપોળ રોડ ઉપર બનેલી ઘટનામાં ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : કેશોદના પાંજરાપોળ રોડ ઉપર દુકાન ધરાવતા વેપારીની દુકાનનું બોર્ડ આરોપીઓએ હટાવી લેતા વેપારીએ બોર્ડ કેમ હટાવ્યું તેવું પૂછતાં મહિલા સહિતના ચાર શખ્સોએ વેપારીને ઢીકાપાટુનો માર મારી ઘુસ્તાવી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ કેશોદ ખાતે પાંજરાપોળ રોડ ઉપર દુકાન ધરાવતા દીપનભાઇ રજનીકાંતભાઇ રાયચડ્ડાની દુકાનનું બોર્ડ હટાવી નાખવામાં આવતા વેપારીએ આ બાબતે પૂછતાં આરોપી નયનાબેન જગદીશભાઇ બોરીયા, જગદીશભાઇ બોરીયા, ગોપાલભાઇ જગદીશભાઇ બોરીયા અને મીથીલ જગદીશભાઇ બોરીયાએ એકસંપ કરી દીપનભાઈને ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.

આ બનાવ અંગે ફરિયાદી દીપનભાઈએ કેશોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા સહિત ચારેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૨૯૪(ખ), ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.