લોખંડનો પાઇપ બહાર કાઢવા જતા વિજશોકથી ખેડૂતનું મોત

વિસાવદરના નવાણીયા ગામની સીમમા આવેલ વાડીએ બનેલી કરુણ ઘટના

જૂનાગઢ : વિસાવદરના નવાણીયા ગામની સીમમા આવેલ વાડીએ લોખંડનો પાઇપ બહાર કાઢવા જતા વીજ લાઈનને અડકી જતા ખેડૂતનું વિજશોકથી કરુણ મોત નીપજ્યું છે.

આ બનાવની વિસાવદર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર વિસાવદરના ગામે રહેતા નવાણીયા મનસુખભાઇ ફુલાભાઇ હીરપરા (ઉ.વ.૪૦) નામના ખેડૂત ગત તા.૭ ના રોજ સવારના નવેક વાગ્યાના અરશામા તેની વાડીએ ધાણામા પાણી વાળવા ગયેલ હતા અને તેમની વાડીના મકાનમાથી લોખંડનો પાઇપ બહાર કાઢવા જતા બાજુમાથી નીકળતી ઇલેવન વીઝળીની લાઇનમા અડી જતા મનસુખભાઇને ઇલેક્ટ્રીક શોક લાગતા સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. આ બનાવની પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.