માનસીક બીમારીથી કંટાળી વૃદ્ધાએ જાત જલાવી

જૂનાગઢના મેંદરડા ગામની ઘટના

જૂનાગઢ : જૂનાગઢના મેંદરડા ગામે માનસીક બીમારીથી કંટાળી વૃદ્ધાએ જાત જલાવી લેતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જુનાગઢ જિલ્લાના મેંદરડા ગામે ધનપાના ઢોરા ઉપર રહેતા લાખીબેન ભીખાભાઇ બોરખતરીયા (ઉ.વ.-૮૫) નામના વૃદ્ધાએ અગ્નિસ્નાન કરી લીધું હતું.જેમાં લાખીબેન ભીખાભાઇ બોરખતરીયાને માનસીક બીમારી હોય અને બીમારીથી કંટાળી જઇ પોતે પોતાની મેળે કોઇપણ રીતે શરીરે આગ લગાડી દાઝી જતા તેમનું ગઈકાલે સારવાર દરમ્યાન મોત થયું હતું. આ બનાવની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.