કેશોદની પરિણીતાને કરિયાવર મામલે વેરાવળના સાસરિયાઓનો ત્રાસ

પરિણીતાએ પતિ સહિતના સાત સાસરિયાઓ વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : કેશોદ પિતાને ઘેર રહેતી પરિણીતાએ વેરાવળના પતિ સહિતના સાસરિયાઓ કરિયાવર બાબતે ત્રાસ આપતા હોય કેશોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જાણવા મળતી વિગતો મુજબ કેશોદના રણછોડનગર ભોય સમાજની સામેની ગલીમાં પિતાના ઘેર રહેતા ધૃતિબેન અમીતભાઈ કંસારાએ વેરાવળ બિહારીનગરમાં રહેતા પતિ અમીત છગનભાઈ કંસારા, સાસુ-હંસાબેન છગનભાઈ કંસારા, સસરા-છગનભાઈ મેધજીભાઈ કંસારા, નણંદ અસ્મિતાબેન છગનભાઈ કંસારા, કાકાજી સસરા ભુપતભાઈ મેધજીભાઈ કંસારા, નણંદ દર્શનાબેન સુનિલભાઈ જેઠવા અને નણદોયા સુનિલભાઈ ભીખુભાઈ જેઠવા દ્વારા ઘરકામ બાબતે શારીરીક માનસીક ત્રાસ આપી મેણાટોણા મારી, તુ ભુખેલની દિકરી છો કરીયાવરમાં કાંઇ લાવી નથી કહી કરીયાવરની તથા પૈસાની માંગણી કરી મુંઢ માર મારતા કેશોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

વધુમાં કેશોદ પોલીસે ધૃતિબેનની ફરિયાદના આધારે વેરાવળ રહેતા પતિ,સાસુ, સસરા,નણંદ સહિતના સાતેય આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૪૯૮(ક), ૩૨૩, ૧૧૪ મુજબ ગુન્હો દાખલ કર્યો છે અને વધુ તપાસ કેશોદ પીએસઆઇ કે.એસ.ડાંગર ચલાવી રહ્યા છે.