જૂનાગઢના ગણેશનગરમાં આધેડે ઝેરી દવા ગટગટાવતા મોત

જૂનાગઢ : જૂનાગઢના ગણેશનગરમાં રહેતા મંગાભાઈ સોમાભાઈ સોંદરવા ઉ.51 નામના આધેડે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મૃતકના પુત્ર અલ્પેશભાઈએ પોલીસને જાણ કરતા એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરુ કરી છે.